મોરબીમાં ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

મોરબી શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા ના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આજ રોજ તારીખ 1-7-2022 થી તારીખ વૃક્ષારોપણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે બપોરે ત્રણ કલાકે મોરબીના જિલ્લા સેવા સદન કચેરી ખાતે વૃક્ષારોપણ શરૂ કરેલ છે આ કાર્યક્રમમાં દાવતે ઈસ્લામી ઇન્ડિયા ના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાજ રીલીફ ફાઉન્ડેશન ના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરેલ હતું

જેમાં તુફેલ અન્સારી. હાજી અયુબભાઈ. હાજી સરફરાજભાઈ. ઇમરાન ભાઈ ઠાસરીયા. મુસ્તુફા પાયક . અબ્દુલભાઈ વડાવરીયા. ઇમરાન ભાઈ મોવર. મુસ્તાક દિલાવર સેડાત. હાજી વસીમ ભાઈ. સહિતના યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરેલ હતું તેમાં મુસ્લિમ અગ્રણી ભારતીય જનતા પાર્ટી મોરબી નગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન આસિફભાઇ રહીમભાઈ ઘાંચી હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ જે તસવીરમાં નજરે પડે છે