મોરબીમાં મચ્છુમાંના મંદિર ખાતે મુસ્લિમ અગ્રણી દ્વારા અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા નું સ્વાગત કરી એકતાનો આપ્યો સંદેશ

મોરબીમાં મચ્છુમાંના મંદિર ખાતે મુસ્લિમ અગ્રણી આસિફભાઇ રહીમભાઈ ઘાંચી દ્વારા અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા નું સ્વાગત કરી એકતાનો આપ્યો સંદેશ

મોરબી નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન મુસ્લિમ અગ્રણી આસિફભાઇ રહીમભાઈ ઘાંચી દ્વારા મોરબી ખાતે મચ્છુમાંના મંદિરે અષાઢી બીજ નિમિત્તે શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સાધુ સંત મહંત ને ફુલહારથી આવકારી આશીર્વાદ મેળવી શોભાયાત્રા નું સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ પાઠવ્યો છે

જેમાં મંત્રી બ્રિજેશભાઈ, ભાજપ શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલ્લભજીભાઈ દેથરીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા તેમજ નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર સહિત ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા વિગેરે મુસ્લિમ લઘુમતી મોરચાના અગ્રણીઓ આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જે તસ્વીરમાં નજરે પડે છે