કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઔષધીય રોપાનું રાહત ભાવે વિતરણ કરાશે

મોરબી તથા આસપાસ નાં તમામ પર્યાવરણ પ્રેમી મિત્રો માટે અલગ અલગ પ્રકાર ના ઔષધીય રોપા નું રાહત ભાવ થી વિતરણ કરવા માં આવશે.

આપડે દર વર્ષે મોરબી નાં લોકો ને આયુર્વેદ તરફ આગળ વધારવા માટે ઔષધીય રોપાઓ જૂનાગઢ તથા તેના આસપાસ ના એરિયા માંથી ખરીદી ને મોરબી નાં લોકો માટે આપડા કર્તવ્ય જીવદયા કેન્દ્ર એ થી રાહત ભાવ થી રોપાઓ નું વિતરણ કરવા માં આવે છે. તો આ વર્ષે પણ નીચે લીસ્ટ મુજબ નાં રોપાઓ આવી ગયા છે. હરડે,બહેડા,લીંડી પીપર વેલ,સિંદુરી, સાદડ અર્જુન,ફાલસા, રગત રોહિદો,આસિત્રો કરમદા, કોઠા,આંકોલ,પુત્રજીવા,ચરેલ,કાચનાર,ચણોઠી,અરીઠા, શિવલિંગી,સીસમ,અશોક,ખાખરો,ફણસ, વિકડો, માલણ,આમળા, પબડી ,કડાયો,એલોવેરા, ઓક, પારિજાત,કપિલો,નગોડ, બ્રાહ્મણી વેલ, અરડૂસી, ગૂગળ,

એક ઔષધીય રોપા ની ટોકન કિંમત માત્ર 20 રૂપિયા રેહસે. રોપા લેવા આવતી સમયે પોતાનું વાહન અને જો રોપાઓ વધુ હોય તો મદદગાર વ્યક્તિ ની વ્યવસ્થા કરી ને આવવું. રોપા વિતરણ ની તારીખ – ૧૦ જુલાઈ ને રવિવાર
વિતરણ નો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધી

રોપા મેળવવા નું સ્થળ કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળા પેહલા, હરિ ૐ સ્ટોન પછી, રવાપર – ઘુનડા રોડ
મોરબી, વધુ માહિતી માટે સંપર્ક – 7574885747, ખાસ નોંધ – આ વિતરણ થકી જે પણ નફો થાય છે તે તમામ કર્તવ્ય જીવદયા કેન્દ્ર માંજ વાપરવા માં આવે છે.