વાવડી-વનાળીયા રોડના સમારકામને 2 મહિના જ થયા ને રોડ તૂટી ગયો…!!

મોરબી જિલ્લામાં મેઘરાજા મહેમાન બનતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તાની કફોળી હાલત બની છે. લોટ-પાણીને લાકડાં સમાન ભષ્ટ્રાચારી કામોનો જાણે મેઘરાજાએ પોલ ખોલી નાખી હોય તેવુ મોરબી શહેર સહિત ગ્રામ્ય રોડ-રસ્તાના દ્રશ્યો જોઈ લાગી આવે છે.

ત્યારે મોરબીના વાવડી પાટીયાથી નારણકા ગામ સુધી રોડની બિસ્માર હાલ હોવાના કારણે સરપંચોએ માર્ગ અને મકાન વિભાગના નાયબ ઈજનેરને 24 માર્ચના રોજ લેખિત રજુઆત કરી હતી. 28 માર્ચના રોજ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા જીલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબિયાને રોડ રીપેરીંગ બાબતે અરજી કરી હતી. અરજીને ધ્યાને લઈ તા.7 મે ના રોજ રોડના પેચવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

પેચવર્ક કામ દરમિયાન તા.7મેના રોજ મોરબી જિલ્લા પંચાયત જયંતિભાઈ પડસુંબિયા, તાલુકા પંચાયત સભ્યો પરેશભાઈ પડસુંબિયા, ભૂપતભાઈ સવસેટા સહિતનાઓએ રોડના કામનું નિરક્ષણ કર્યું હતું. જે રોડના પેચવર્કના કામને માત્ર બે મહિના જેટલો સમય થયો ને રોડની કફોળી હાલત બની ગય છે. ઠેર-ઠેર ઉંડા ખાડાઓ પડી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સર્જાય તેવી પરિસ્થતિ સર્જાઈ છે. જોકે પહેલા વરસાદમાં જ રોડના પેચવર્કના કામની પોલ ખુલી ગય હતી. અને ડામરની જગ્યાએ ચીકણી માટી દેખાશે લાગતા વાહનચાલકોને વાહનો સ્લીપ થય જવાનો ભય સતાવ્યા કરે છે.

મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબિયા સહિતનાઓએ રોડના પેચવર્કનું કામનું નિરીક્ષણ કર્યું તે સમયે રોડમાં કે પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તે ધ્યાનમાં નહી લીધુ હોય…!! જોકે વાવડીના પાટીયાથી નારણકા સુધી રોડની મરામત કરવા રજૂઆત થય હતી તો માત્ર વનાળીયા સુધી જ કેમ રોડનું પેચવર્ક કામ હાથ ધરાયું તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યા છે. સાથે જ ગ્રામજનોને રાજી રાખવા પુરતો જ ડામર પાથરવામાં આવ્યો હશે તેવા પણ વેદક સવાલો ઉઠી રહ્યા છે. ફરી રસ્તામાં ઠેર-ઠેર ખાડાઓ પડી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.