વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું માળીયા તાલુકાના સુલતાનપૂર ગામે ભવ્ય સ્વાગત

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ માળીયા તાલુકાના સુલતાનપુર ગામ ખાતે થી માળીયા તાલુકામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” ને પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ”ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો હતો.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા.

આ તકે માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા,મહામંત્રી મનીષભાઈ કાંજીયા, અરજણભાઈ હુંબલ, કિશાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, યુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કર, યુવા મોરચા પ્રમુખ હિતેષભાઇ દસાડિયા, સુલતાનપુર ગામ સરપંચ ભાવેશભાઈ વિડજા, માજીસરપંચ રતિલાલ વિડજા, પૂર્વકારોબારી ચેરમેન રતિલાલ ભાડજા, ન્યાય સમિતિના ચેરમેન મનુભાઈ, તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.