મોરબી: રામાનંદી સાધુ સમાજ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજાયો

(અહેવાલ: મયંક દેવમુરારી) : મોરબી રામાનંદી સાધુ સમાજની વાડી રામઘાટ ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરાયું હતું જેમાં સૌથી પેલા દીપ વંદનાથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી પછી હનુમાન ચાલીસા ના પાઠ સમાજ બંધુ દ્વારા કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમ માં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત ઉપપ્રમુખ સુરેશભાઈ, ચંદ્રકાંતભાઈ રામાનુજ દીપકભાઈ,મનીષભાઈ,ભુપતભાઈ પ્રજ્ઞેશભાઈ સહિતના ઓએ જહેમત ઉઠાવી હતી