મોરબીની ધરમપુર શાળામાં દાતા દ્વારા 170 વિદ્યાર્થીઓને યુનિફોર્મ અર્પણ કરાયા

મોરબીની ધરમપુર શાળામાં દાતાઓ દ્વારા 78000 ની કિંમતના ગણવેશ અર્પિત કર્યા

મોરબીના લોકો પોતાના પરસેવાની કમાણી પર સેવા માટે વાપરવા માટે ખુબજ જાણીતા છે, મોરબીમાં વિદ્યાર્થીઓ માટે, શાળાઓ માટે,જરૂરિયાતમંદો માટે સતત દાનની સરવાણી વહેતી રાખતા હોય છે,લોકો દિવસ રાત મહેનત કરી આર્થિક રીતે સુખી સંપન્ન થયા બાદ કંઈક ને કંઈક દાન અર્પણ કરતા હોય છે એ અન્વયે મોરબીની ધરમપુર શાળાના શિક્ષકોના કાર્યોથી શાળાઓની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ વિજયભાઈ માકાસણા અને પ્રકાશભાઈ મકવાણા બંને ઉદ્યોગકારોએ શાળાના 170 વિદ્યાર્થીઓને સુંદર મજાના 170 યુનિફોર્મ રૂપિયા 78000 ઇઠોતેર હજાર રૂપિયાની કીંમતના ગણવેશ અર્પણ કર્યા હતા.જેથી વિદ્યાર્થીઓને મન ગમતો ગણવેશ મળતા મુખ પર હાસ્ય રેલાયું હતું.બંને દાતાઓનું શાળા પરિવાર અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ આભાર પ્રકટ કર્યો હતો.