મોરબી “આપ” દ્વારા પંકજ રાણસરિયાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું સાથે ૧૦૦ યુવાનો જોડાયા

પરિવર્તન ની રાજનીતિ થી પ્રેરિત થઈ આમ આદમી પાર્ટીમાં સ્વચ્છ વ્યતિત્વ ધરાવનાર સારા લોકો મોટા પ્રમાણ માં જોડાય રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની અગવાની હેઠળ મોરબીના જાણીતા યુવા નેતા અને યુવા ઉદ્યોગકાર એવા પંકજભાઈ રાણસરિયા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સરકારના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ ના વરદ હસ્તે વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા જેમનું આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું.

મોરબી નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી પંકજભાઈ રાણસરિયાનું મોરબી જિલ્લા સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાદ અવની ચોકડીએ આવેલ પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે તેમને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવી મોરબી જિલ્લા સંગઠનમાં આવકારવામાં આવ્યા તેમની સાથે આજે 100 થી વધુ યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા મોરબી જિલ્લામાં વધતો જતો આમ આદમી પાર્ટીના વિકાસ થી ભાજપ અને કૉંગ્રેસ પાર્ટીમાં હલચલ મચી ગઇ છે.

અંગત સુત્રોની માહિતી મુજબ આગામી 15 દિવસમાં ભાજપ અને કૉંગ્રેસ માં રહેલ સારા યુવાનો આમ આદમી પાર્ટીના સંપર્કમાં આવવા લાગ્યા છે ટૂંક સમયમાં વધુ જાણીતા ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય શકે છે.