વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણુંક કરાઈ

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ તરીકે બિન હરીફ યુવરાજસિંહ વાળા તેમજ મહામંત્રી તરીકે આબિદઅલી કોવડીયા ની પસંદગી

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ ના બંધારણ મુજબ તાલુકા શાળા વાઇઝ મહાસમિતિની નિયુક્તિ કરવામાં આવે છે તેનો સમય 3 વર્ષ નો હોય છે.વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માં આ વખતે 28 શિક્ષકો મહાસમિતિ ના સભ્ય તરીકે બિન હરીફ આવ્યા છે જે અભિનંદન ને પાત્ર છે તે સભ્યોએ મળીને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ તરીકે બિન હરીફ યુવરાજસિંહ વાળા તેમજ મહામંત્રી તરીકે આબિદઅલી કોવડીયા ની પસંદગી કરેલ છે