રાજ્યમંત્રી મેરજા ૨૬ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

તેઓ ૨૬મી જુલાઈના રોજ સવારે ૧૦:૩૦ વાગે પટેલ વાડી, શનાળા રોડ, મોરબી ખાતે વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષા પર આયોજિત ઉજ્વલ ભારત – ઉજ્જવલ ભવિષ્ય સંદર્ભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.