નવયુગ ગ્રૂપ દ્વારા મંત્રોષધિ “સુવર્ણ પ્રાશન સંસ્કાર” યોજાશે

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના દરેક વિભાગમાં અભ્યાસ કરતા KG તથા ધોરણ 1 થી 7 ના બાળકોને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા આયોજિત મંત્રોષધિ “સુવર્ણ પ્રાશન સંસ્કાર” તા.29/07/2022 શુક્રવારના રોજ પુષ્ય નક્ષત્રમાં આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

સુવર્ણ પ્રાશનના બે ટીપાં દરેક બાળકને પૂર્વ દિશામાં બેસાડી મંત્રોચાર દ્વારા આચમન કરાવવામાં આવશે. આ સુવર્ણ પ્રાશન એટલે સુવર્ણ નવરત્ન, બ્રાહ્મી, વચા, શંખપુષ્પી જેવી દિવ્ય , મેઘાવર્ધક ઔષધિઓ તેમજ મધનું ઉત્તમ સંયોજન છે.