આમરણ ગામે “નંદી”નું મૃત્યુ થતા હિંદુ પરંપરા મુજબ સમાધિ અપાય

લમ્પી વાયરસને ના કારણે હાલમાં ઘણા બધા અબોલ પશુના જીવ જઈ રહ્યા છે જેમાં આમરણ ગૌશાળાના મુખ્ય “નંદી” નું મૃત્યુ થયું હતું ગૌશાળાના નંદીનું મૃત્યુ થતા ગૌશાળા સંચાલકો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને નંદીના મૃત્યુના પગલે હિંદુ સંસ્કૃતિ મુજબ આમરણ ગૌશાળા ગ્રુપ દ્વારા વિધિસર નંદીને સમાધિ આપવામાં આવી હતી હાલ ગૌશાળામાં ૩૦૦ અબોલ જીવો છે અને લમ્પી વાયરસ રોગચાળો ફેલાય રહ્યો છે જેથી ગૌશાળા સંચાલકો પણ ચિંતિત બન્યા