પતિના શંકાશીલ સ્વભાવથી કંટાળી પત્ની ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી.
મોરબી 181 અભયમ ટીમે પતિનાં શંકાશીલ સ્વભાવના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયેલી પીડિતાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.
મોરબી 181અભયમની ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ ચિંતા મા છે જે કોલને લઇ 181 અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, કોનસ્ટેબલ ભારતીબેન ધલવાણીયા તેમજ પાયલોટ હેઈદરભાઈ કાગેસીયા ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતાં. 181 ની ટીમે પિડીતાને સમજાવ્યા અને તેમનુ કાઉન્સિલીગ કયુઁ. બહેન સાથે 181 અભયમ ટીમે વાતચીત કરી વાતચીત કરતા જણાવ્યું હતું કે પિડીતા બહેન ના આજથી છ મહિના પહેલા જ તેમના લગ્ન થયા છે. પિડીતા પાસેથી તેના પતિનો ફોન નંબર મેળવી તેના પતિ સાથે મોબાઇલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનુ સરનામું જાણી 181 અભયમ ટીમે પિડીતાની સાથે તેના સાસરીમાં ગયાં હતાં તેના સાસરીવાળાને મળી ઘટનાની તમામ માહિતી આપી હતી.
ત્યારબાદ પિડીતાના સાસરીવાળા એ જણાવ્યું હતું કે તેમને ખબર જ ન હતી કે બહેન ક્યા ગયાં છે તેના પતિએ ઘણી શોધ કરી પરંતુ તેઓને મળ્યા ન હતાં બહેન તેના પિયરમાં રોજ વારંવાર ફોન કરી વાતચીત કરતાં હોય અને બહેનને લગ્ન પહેલા કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ હોય તેથી તેના પતિ ખોટી શંકા કરતા અને તેમના વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો હતો તેથી પિડીતા બહેન કંટાળીને ઘરે કહ્યા વગર બહાર નીકળી ગયાં હતાં 181 અભયમ ટીમ દ્વારા તેના પતિ અને સાસરીના સભ્યોને સલાહ સુચન માગૅદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યુ હતું અને બહેનના પિયરના સભ્યોને બોલાવી તેમની સાથે પણ વાતચીત કરી યોગ્ય માગૅદશર્શ આપી પિડીતાના પતિ અને સાસરીવાળાએ બહેનને સલામત ઘરે પહોચાડ્યા એ બદલ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરયૉ હતો.