શ્રી જાજાસર પ્રાથમિક શાળામા આઝાદીકા અમૃત અંતર્ગત ભારતમાતાનું પૂજન કરાયું

શાળાઓમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરેલ હતું જેમાં જાજાસર પ્રાથમિક શાળામાં પ્રાર્થના સભામાં ભારતમાતાનું પૂજન કરાયું,આરતી ઉતારી, ભારતમાતાની આરતી ગાઈ હતી, આઝાદીકાઅમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી, શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, ભારતમાતાના જય ઘોષ સાથે કાર્યક્રમને વધાવ્યો હતો દિપાવ્યો હતો.