મોરબી : સાર્થક વિદ્યામંદિર ખાતે e -FRI – અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા પોલીસ અને સાર્થક વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે e -FRI – અંતર્ગત લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ધો.12 ના વિદ્યાર્થીઓ , તેમના વાલીઓ, એલ. ઈ. કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોરબીના જાહેર જનતા હાજર રહ્યા હતા. ઉપરાંત શાળાના સંચાલક અને શિક્ષકો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રકાશ દેકેવાડીયા (PI-B ડિવિઝન મોરબી પોલીસ) એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. e-FIR માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી હતી. ઉપસ્થિત રાહુલ ત્રિપાઠી(sp મોરબી)એ પણ સાઇબર ક્રાઈમ અંતર્ગત લોક જાગૃતી માટે માર્ગદર્શન આપ્યું હતું.