મોરબીમાં આવતીકાલે સનાળા રોડ પરના વિસ્તારોમાં પાવર કાપ રહેશે

તારીખ ૧૦.૦૮.૨૦૨૨ ના બુધવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે ૦૮:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવુ લાઈનકામ ની કામગીરી માટે બંધ રહેશે.

જેમાં હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન ૧ થી ૩ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.