વાંકાનેર સુપરસીડ થયેલ નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદારની નિમણુંક કરાઈ

વાંકાનેર નગરપાલિકા અનેક વિવાદો અને અનેક કામો તેમજ ગ્રાન્ટનો ઉપયોગ ન કરવા જેવા અનેક કારણોથી સુપરસિડ જાહેર કરવામાં આવી હતી અને નગરપાલિકા પ્રમુખની ચેમ્બર સહિત ઓફીસને સિલ કરવામાં આવી હતી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા ઠરાવ બુક અને સાહિત્ય દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

જેથી નગરપાલિકાનું વિસર્જન થયા બાદ હવે વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર યુ.વી કાનાણીની નિમણુંક કરવામાં આવી છે તેઓએ ચાર્જ પણ સંભાળી લેતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા સિલ કરવામાં આવેલ ચેમ્બરોની ચાવીઓ તેમજ ઝપ્ત કરેલ ઠરાવ બુક સહિતના સાહિત્ય નવા નિમાયેલ વહીવટદાર યુ.વી.કાનાણીને સુપરત કરવામાં આવ્યા હતા.