હર ઘર પર તિરંગો લહેરાવવા જાહેર જનતાને અપીલ કરતા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા

ચાલો હર ઘર પર તિરંગો લહેરાવી આપણું સ્વાભિમાન તેમજ રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરીએ

મોરબી જિલ્લાની સમગ્ર જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અપીલ કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.

જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે હર ઘર તિરંગાનું આહ્વાન કરવામાં આવ્યું છે. જે આહ્વાન અન્વયે મોરબી જિલ્લાના લોકો પણ રાષ્ટ્ર ભાવના દેદિત્યમાન કરવામાં પાછળ ન રહે તે જરૂરી છે. તો સૌ સ્વયંભૂ ઘર, ઓફિસ તમામ જગ્યાઓએ તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરે. તો ચાલો હર ઘર પર તિરંગો લહેરાવી આપણું સ્વાભિમાન તેમજ રાષ્ટ્ર ભક્તિને ઉજાગર કરીએ.