મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 25,000 ધ્વજ અને શ્રી હનુમાન ચાલીસાનું વિનામૂલ્યે વિતરણ કરાશે

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા તા. 13 ને શનિવારે બપોરે 12 વાગ્યા થી તા. 14 ને રવિવારે સાંજે 7 વાગ્યા સુધી મોરબીના સુપર માર્કેટ પાસે 25,000 જેટલા તિરંગા નું વિનામૂલ્યે વિતરણ કરાશે જેનો લાભ લેવા રાષ્ટ્પ્રેમી જનતાને અપીલ કરવામાં આવે છે