રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪મી ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ સવારે ૯:૦૦ કલાકે ઉમિયા સર્કલ, શનાળા રોડ ખાતે મોરબી નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત હર ઘર તિરંગા સંદર્ભે ૧૦૮ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ તથા અન્ય વિકાસ કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

બપોરે ૧૨:૦૦ કલાકે મોરબીમાં સ્ટેશન રોડ ખાતે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, દિન દયાલ અંત્યોદય યોજના અન્વયે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

સાંજે ૭:૦૦ કલાકે નહેરૂ ગેઈટ ખાતે લાઇટિંગ શો તથા અન્ય વિકાસ કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.