ક્રાંતિકારી સેના દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરનું સન્માન કરાયું

ક્રાંતિકારી સેના દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનું મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ નો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું કારણકે સંદીપસિંહ એ મોરબી આવી પહેલા દિવસેજ જે 2 વર્ષ થી સુભાષચંદ્ર બોસ પ્રતિમા નું કાર્ય કોઈ વ્યક્તિ દ્વારા અટકાવવા માં આવ્યું હતું તેની મંજૂરી આપી કાર્ય પૂર્ણ કરાવ્યું અને 108 ફૂટ નો રાષ્ટ્ર ધ્વજ મોરબી ને આપ્યો તે માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું