ગોરખીજડીયા ગામે આન, બાન અને શાન સાથે 76માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ

મોરબી તાલુકા ગોરખીજડીયા ગામે શ્રી સ્વામીનારાયણ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો 76માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનિ મામલતદાર નિખીલ મહેતાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ મામલતદારના હસ્તે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાને વિકાસ કાર્યો માટે રૂ.5 લાખનો ચેક અર્પણ કરાયો હતો. સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા.

આ તકે મામલતદાર નિખીલ મહેતા, મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, પ્રમુખ કાનાભાઈ ચાવડા, ઉપપ્રમુખ વિક્રમભાઈ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, પીએસઆઈ જેઠવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંરપચ ગૌતમભાઈ મોરડીયા તથા ગોરખીજડીયા ગ્રામજનોએ ઉપસ્થિત રહેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ હતો.