રામધન આશ્રમ તેમજ જય માતાજી સેવા સમિતિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

પવિત્ર શ્રાવણ માસમાં રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે 9 દિવસ સુધી રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લંપી વાયરસથી મૃત્યું પામેલ ગૌવંશને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તેમજ જયમાતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા રત્નેશ્વરીબેનની પ્રેરણાથી કપડા વિતરણ, પુસ્તક વિતરણ, મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે રાજુભાઈ, પુજાબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, કરશનભાઈ, લાભુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દુર્લભજીભાઈ, મનજીભાઈ તેમજ કેશુભાઈ સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું હતું.