મોરબીના યુવા ઉદ્યોગપતિ અભિજીતસિંહ જાડેજાના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબીના યુવા ઉદ્યોગપતિ અભિજીતસિંહ જાડેજાના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

મોરબીના અગ્રેસર યુવા ઉદ્યોગપતિ અભિજીતસિંહ જયવંતસિંહ જાડેજાના સુપુત્ર તીર્થરાજસિંહનો જન્મદિવસ ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્યદિવસની સંધ્યાએ સાંસ્કૃતિક પરંપરા મુજબ યોજાયો હતો જેમાં જાડેજા પરિવારે ભારતીય સેનાના બે શહીદ જવાનોના પરિવારને આર્થીક સહયોગ આપવાના હેતુથી સૈન્ય જવાન ઋણસ્વીકાર પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.