મોરબી : ર્ડા. બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાય

મોરબીમાં વિજયનગર ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.બાબા સાહેબ આંબેડકર વિદ્યાલય ખાતે ભારત દેશના ૭૬ માં સ્વતંત્રતા દિવસ ૧૫ મી ઓગસ્ટ ની આન-બાન-સાન થી ઉજવણી કરવામાં આવી, વિદ્યાલયના પ્રિન્સિપાલ ભરતભાઈ લોહીયાની આગેવાનીમાં મહિલા શિક્ષિકા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ

આ સમયે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જમનાદાસ પરમાર, વલ્લભદાસ પરમાર, કેશુભાઈ ચાવડા તેમજ મહેમાન તરીકે રામજીભાઈ પરમાર(નિવૃત સરકારી પ્રિન્સિપાલ), સુખભાઈ મકવાણા, જીતુભાઇ ચૌહાણ, નિલેશભાઈ ચૌહાણ, માજી નગરપાલિકા પ્રમુખ રવજીભાઇ સોલંકી, રમેશભાઈ લોહિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ, ધ્વજવંદન બાદ બાળકોને ૭૬માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી ના ભાગ રૂપે નાસ્તો કરાવવામાં આવેલ