બગથળા ગામમાં ભવ્ય રીતે કૃષ્ણજન્મ ઉત્સવ ઉજવાયો

સમગ્ર વિશ્વ ને ભગવત ગીતા નાં માધ્યમ થી જેમને કર્મ નાં સિધ્ધાંત નો બોધપાઠ આપેલ છે તેવા દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ તાં ૧૯.૮.૨૨ નાં રોજ ધામ ધુમ ઉજવી ને મટકી ફોડ નું આયોજન બગથળા અભિલાષા ગૌસેવા યુવક મંડળે ભવ્ય આયોજન કરેલ હતું.

સમસ્ત બગથળા ગ્રામજનો એ સવારે ૭.૩૦ કલાકે ભવ્ય શોભા યાત્રા કાઢેલ. જે ગૌશાળા થી નીકળી ને નાના મંદિર થી મોટા મંદિર થઈ અને નકલંક મંદિર અને ત્યાંથી પટેલ સોસાયટી નવરગ ચોક થઈ ને અભિલાષ ગરબી ચોક માં મટકી ફોડ કરી ને કૃષ્ણા જન્મ મહોત્સવ શ્રી નકલંક મંદિરનાં મહંતશ્રીની હાજરી માં ભવ્ય રીતે ઉજવેલ.

કાર્ય ક્રમ પૂર્ણ કરી ને ગૌમાતા ને લંપી વાયરસ માંથી મુક્તિ આપવા માટે ઇશ્વર ને પ્રાથના કરવામાં આવી હતી.