વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ઇચ્છુક ઉમેદવારોએ ૨૬ ઓગસ્ટના આઈ.ટી.આઈ. વાંકાનેર ખાતે ઉપસ્થિત રહેવું

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૨૬/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકેવાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશેજેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુકનોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએતેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોશાળા છોડ્યાનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફઅધારકાર્ડબાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળેનિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવુંરોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા મોરબી રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.