મોરબી શ્રી સિધ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ આયોજક અરવિંદ બારૈયા બહુમાન કરાયું

મોરબીમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા જાજરમાન શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના ખેડૂત પુત્ર યુવા નેતા એવા અરવિંદભાઈ બારૈયાનું ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વાર બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજા, રાજલભાઈ અઘારા હાજર રહ્યા હતા.