મોરબી : ભાગવત કથામાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી શકે તેવા મંડપને આખરી ઓપ અપાયો

મોરબી કોરોના મહામારીના દિવંગતોની આત્માને મોક્ષાર્થે ભાગવત કથામાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી શકે તેવા મંડપને આખરી ઓપ આપી દેવાયો

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” મોરબી માળિયા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનયમાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી શકે તેવા મંડપ ને આખરી ઓપ આપી દેવાયો છે