મોરબી :  આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર(મોરબી) દ્વારા કેમ્પનું આયોજન 

મોરબીમાં સૂરજબારી પુલ પાસે આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે શીવસેવક ગ્રુપ-રવાપર(મોરબી) દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે.

કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાના મઢના પદયાત્રીઓ માટે મોરબી ના યુવાનો દ્વારા એક સરસ એવા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે સતત 2012 થી આ ગ્રુપ સેવાના કર્યો કરે છે, આ કેમ્પ ઉપક્રમે તારીખ 17/09થી 20/09 સુધી કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં 24 કલાક ચા–નાસ્તો, બપોરે તથા રાતે ભોજનપ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવશે.

તેમજ યાત્રાળુઓ માટે ખાસ કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે સાથે નવા ધોવા ની પણ વ્યવસ્થા કરેલી છે સ્થળ: સૂરજબારી પુલ પહેલાં, પોલીસ ચેક પોસ્ટ પાછળ, મોરબી- માળીયા હાઇવે, મોરબી

વધુ વિગત માટે આ 4 નંબર પર કોન્ટેક્ટ કરવો… મો. 99790 50000, 98793 76033, 98252 17710, 90333 45777