ટંકારા : વીરપર ગામે “બાવો ધૂંધળીનાથ યાને અમર નગરી ઢાંક” નાટક ભજવાશે

ટંકારા : ટંકારા ના વીરપર ગામે આવેલ કામધેનુ આશ્રમ વીરપર ગ્રાઉન્ડમાં આગામી તા 30-9 2022 શુક્રવાર નવરાત્રીના પાંચમા નોરતે રાત્રે 10-00 કલાકે શ્રી કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર યુવક મંડળ દ્વારા ગૌમાતાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક ધૂંધળીનાથ યાને અમર નગરી એ ઢાંક અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક ભીખુડાનું ઘરઘેણું રજુ કરવામાં આવશે આથી ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે કામધેનુ યુવક મંડળ દ્વારા જાહેર જનતાને નીહાળવા ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવે છે