સમસ્ત બ્રહ્મસમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ મોરબી નાં સંયુક્ત ઉપક્રમે દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન

સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી તથા પરશુરામ યુવા ગૃપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા તથા મહામંત્રી ધ્વનિતભાઈ દવે અને કમલભાઈ દવે ની યાદી જણાવે છે કે દશેરા નાં દિવસે તારીખ ૦૫-૧૦-૨૦૨૨ ને બુધવાર નાં રોજ,સમય સવારે 11.00 કલાકે, સ્થળ : ગાયત્રી મંદિર,વાઘપરા,મોરબી ખાતે શાસ્ત્રીશ્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર નું પુજન કરાવામાં આવશે તો મોરબીનાં તમામ ભૂદેવોએ બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજન માં હાજરી આપવી તેવું યાદી માં જણાવેલ છે.