મોરબીના શારદાનગર ગામે શરદપુનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાશે

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળામાતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે.આગામી તા.૯ ને રવિવારે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળામાતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં યજમાન તરીકે મૂળ બિલિયાના રહેવાસી અને હાલમાં જામનગર રહેતા સુરેશચંદ્ર અનંતરાય ભટ્ટ બેસવાના છે.આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટૃ, જે.પી.ભટૃ, દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ, દિપકભાઇ નાનાલાલ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.