મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહર્ષિ વાલ્મિકી જન્મજંયતીની ઉજવણી કરાઈ

મોરબી મહર્ષિ વાલ્મિકીજી ની જન્મ તિથિ ને અનુલક્ષી ને મોરબી નગર દ્વારા શરદ પૂર્ણિમા ના શુભ દિવસે મહર્ષિ વાલ્મિકીજી નું પૂજન અર્ચન કરવામાં આવ્યું.

આ નિમિતે વાલ્મિકી સમાજ ના અગ્રણીઓ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકતા ઓ એ સાથે મળી ને મહર્ષિ વાલ્મિકીજી નું પૂજન કરી સામાજિક સમરસતા અને સદભાવ નું એક ઉદાહરણ પૂરું પાડ્યું..

સરસ્વતી શિશુ મંદિર શનાળા મુકામે આ ઉત્કૃષ્ટ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં વાલ્મિકી સમાજ ના ભાઈઓ બહેનો અને સંઘ કાર્યકર્તાઓ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા.પૂજન બાદ પરિવાર સહ ભોજન અને રાસ ગરબા નો કાર્યક્રમ સૌ એ સાથે મળી ને ખૂબ જ આનંદ થી ઉજવ્યો હતો દૂધ પૌઆ નો પ્રસાદ લઈ સામાજિક સમરસતા અને સદભાવ ની પ્રેરણા લઈ સૌ છુટા પડ્યા હતા

કાર્યક્રમ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વાલ્મિકી સમાજ ના કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.