મોરબીના રવાપર ગામે કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે ઐતિહાસિક નાટક અને કોમીક ભજવાશે

મોરબી : મોરબીના રવાપર બોનીપાર્ક ખાતે આવેલા ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ 20 ઓક્ટોબરને ગુરુવારના રોજ રાત્રે 9-30 કલાકે કોમિક અને નાટક ભજવવામાં આવશે.

સંત દેવીદાસ ગૌ સેવા ગ્રુપ-રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ યાની કે મેવાડી તલવાર અને સાથે જ હસ્યથી ભરપુર જેઠાલાલની જમાવટ કોમિક ભજવવામાં આવનાર છે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.