મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરતા અગ્રણીઓ

ગાંધીનગર ખાતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે મીટીગ કરેલ અને મોરબી સિરામીક ઉધોગ ના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગો મા સુચના આપી હતી

આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજા ની અધ્યક્ષતામા સિરામીક એશોસીએસન ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા , કિરીટભાઇ પટેલ, નિલેષભાઇ જેતપરીયા અને મનોજભાઇ પટેલ પણ સાથે જોડાયેલ ત્યારે આગામી સમયમા મોરબીના ઉધોગો માટે ના પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.