મોરબી : શ્રી લોહાણા મહાજનનુ સ્નેહ મિલન યોજાશે

પ્રતિવર્ષ શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ ના સ્નેહ મિલન નુ આયોજન કરવા માં આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે તા. ૨૬-૧૦-૨૦૨૨ બુધવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજ ના સ્નેહમિલન નુ આયોજન કરવા માં આવેલ છે.

દરેક રઘુવંશી ભાઈઓ-બહેનો ને સ્નેહમિલન માં પધારવા શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી આમંત્રણ પાઠવવા માં આવેલ છે.