મોરબીમાં સરદાર પટેલ જન્મ જ્યંતી નિમિતે એકતા સાંકળ રચાઈ

મોરબીમાં આગામી 31,ઓકટોબર ના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા તા.25.10.22 થી તા.31.10.22 સુધી વિવિધ કાર્યક્રમો આપેલ છે

જેમાં પ્રથમ દિવસે એકતા માનવ સાંકળ રચવાનો કાર્યક્રમ હોય નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા ફરતે દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની આગેવાની હેઠળ પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ ગાંભવા, અશ્વિનભાઈ વગેરે શિક્ષકો, તલાટીઓ,અન્ય કર્મચારીઓ અને નગરજનોએ એકમેકના હાથ પકડી એકતા માનવ સાંકળ રચી એકતાના દર્શન કરાવ્યા હતા.