મોરબી : લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ શહીદવિરોની પ્રતિમાનો અનાવરણ સમારોહમાં જાહેર આમંત્રણ

રાષ્ટ્રભક્ત અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ફાઉન્ડેશન આયોજિત

મોરબીના આંગણે રાષ્ટ્રભકત અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજીત લોખંડી પુરૂષ સરદાર પટેલ તેમજ સ્વતંત્રતા સંગ્રામના શહીદવિરોની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ,મહારેલી તેમજ ક્રાંતિવિરોને વિરાંજલી આપતા અને રાષ્ટ્રવાદ,રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્રસેવાને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે

મહારેલી સ્થળ:- મહારાણા પ્રતાપ સર્કલ,મોરબી-૨ તા.30.10.22 સમય સાંજે 4:00 વાગ્યે.આ મહારેલી માં મહારાષ્ટ્ર ના બેન્ડ નગારા સાથે 75 ઘોડા,5 હાથી,11 બગીઓ,3000 બાઈક 1000 ગાડી સાથે તમામ જ્ઞાતિના આગેવાનો જોડાશે.

પ્રતિમા અનાવરણ સ્થળ નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી
તા.30.10.22 સરદાર પટેલ જન્મ જ્યંતીની પૂર્વ સંધ્યાએ સાંજે 5:00 કલાકે

રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરાની સ્થળ રામેશ્વર ફાર્મ રાવપર-ઘુનડા રોડ,મોરબી, તા.30.10.22 સમય રાત્રે 9.00 કલાકથી, ભોજન સમારંભ:- રામેશ્વર ફાર્મ ખાતે તા.30.10.22 સાંજે 7.00 કલાકે

આ કાર્યક્રમમાં પધારવા જાહેર જનતા અજય લોરીયા -સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન, ચેરમેન શ્રી બાંધકામ સમિતિ મોરબી જીલ્લા પંચાયત દ્વારા આમંત્રણ છે