કાલે ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોરબીની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભવના

જુલતાપુલ ની ગોઝારી ઘટના માં મૃત્યુ પામેલ પ્રવાસીઓ ના પરિવારજનો પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી ભૂપે્દ્રભાઈ પટેલ, સી.આર.પાટીલ સહિત નાઓ એ સહાનુભૂતિ વ્યક્ત કરી છે તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારે ગોઝારી ઘટનામાં ભોગ બનેલ પ્રવાસીઓ માટે સહાય પણ જાહેર કરી છે. ત્યારે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પહોચવાના છે ત્યારે આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મોરબી ની મુલાકાતે આવી ખુદ મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.