મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે

મોરબી ખાતે ગોઝારી જુલતા પુલ ની દુર્ઘટના માં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત નાં આત્મા ને શાંતિ અર્પે તેમજ તેમના પરિવારજનો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના સાથે જલારામ મંદિર ખાતે ગુરૂવારે શ્રદ્ધાંજલિ સભા યોજાશે.

 

સદ્ગત નાં આત્મા ના શાંતિ અર્થે આગામી ગુરુવાર તા.૩-૧૧-૨૦૨૨ ના રોજ સાંજે ૫ થી ૬ દરમિયાન મોરબી અયોધ્યાપુપી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સામૂહીક શ્રધ્ધાંજલિ સભા રાખવા માં આવેલ છે. તેમજ મંગળ-બુધ-ગુરુ દરમિયાન મોરબી જલારામ મંદિર મહીલા મંડળ દ્વારા સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રધ્ધાંજલિ ધૂન યોજાશે.