મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા.

મુખ્યમંત્રીશ્રીએ સારવાર, બચાવ કાર્યની કામગીરીની સમીક્ષા કરી

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બન્યા બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તત્કાલ મોરબી દોડી ગયા હતા. તેમણે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને રૂબરૂ મળીને ખબર અંતર પૂછ્યા હતા. આ સાથે તેમણે હોસ્પિટલમાં ચાલતી સારવાર તેમજ બચાવ કાર્યની સમીક્ષા પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્શભાઈ સંઘવી, મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, વિવિધ સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.