ઝુલતા પુલની ઘટના બાદ આજ મોરબી ની બજારો બંધ.

ગઈકાલે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તુટી ગયો હતો ત્યારે ૪૦૦ થી વધુ લોકો મચ્છુ નદીના પાણીમાં પડી ગયા હતા. ત્યારે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા પરિવારો એ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે તો ઘણા માતા પિતા એ પોતાના બાળકો….

મોરબી માં બનેલ આવી ગોઝારી ઘટના થી હાલ મોરબીવાસીઓ સહેમી ઉઠ્યા છે. મચ્છુ નદી પરના પૂલ તૂટવા ની ઘટના બાદ આજ મોરબી ની બજાર પણ બંધ રહી છે. મોરબી શહેરની મોટા ભાગની બજારો આજ બંધ રાખવામાં આવી છે.