ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૂર્ત પામેલ દિવંગત આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટી મોરબીએ કેન્ડલ માર્ચ

ગત તારીખ ૩૦/૧૦/૨૦૨૨ના રોજ મોરબીમાં આવેલ ઝૂલતા પુલ ટૂટી પડવાની ઘટના બની જેમાં અંદાજીત 141 લોકોએ જીવ ગુમાવ્યા મૃતક આત્માને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી નગર દરવાજા થી ઘટના સ્થળ ઝૂલતા પુલ શુધી સાંજે ૬ વાગ્યે કેન્ડલ માર્ચ કાઢી હતી

જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, ૬૫ મોરબી માળીયા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા, ૬૬ ટંકારા પડધરી વિધાનસભા ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસના સહિતના હોદેદારો સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા

આ કેન્ડલ માર્ચમાં ઘટના સ્થળે ઝૂલતા પુલ પાસે પૂર્ણ કરી મૂર્તક આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી બેઠક યોજી ૨ મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવેલ.