સિવિલને રંગ તો લાગી ગયો પણ જે પરિવારોમાં રંગ ઉડી ગયો તેનું શું ??

મોતનો મલાજો રાખ્યા વિના નફટ તંત્ર ઊંધે માથે સિવિલ ને કલર કામ કરવા લાગ્યું છે, આ તંત્ર પોતાનું સારું બતાવવા માટે ક્યાં સુધી જઈ શકે છે તે બતાવી દીધું હજુ અને લોકોને અગ્નિદાહ થયા તેને કલાકો નથી થયા ત્યાં તો સિવિલ હોસ્પિટલમાં કલર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું અરે રંગ તો સિવિલમાં ગમે ત્યારે લાગી શકશે પણ જેના પરિવારોમાં રંગ ઉડી ગયા છે ને તેનો તો ખ્યાલ રાખવો હતો આટલી ઉતાવળ એ કલર કામ કરી ને મોદીને બતાવવું શુ જરૂરી છે.

આ દુર્ઘટના માં અનેક વિધવા, અનાથ અને પુત્ર વગર ના પરિવારો થયા છે તેમની પર કેવું વિત્યું હશે કે પછી પોતાનું સારું બતાવવા માટે આ તંત્ર ગમે તેવી નીચલા કક્ષા એ જઇ શકે છે ?