ઝૂલતા પુલના કેસમાં પકડાયેલ નવ આરોપીઓમાંથી ચારના રિમાન્ડ મંજૂર, પાંચ સીધા જેલ હવાલે.

મળતી માહિતી મુજબ પુલ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા નવું જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી જેમાંથી મેનેજર સહિત ના નવ આરોપીઓની અટકાત કરવામાં આવી હતી જેમને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી ઓરેવા કંપનીના મેનેજર દીપકભાઈ પારેખ અને દિનેશભાઈ દવે સહિતના ચાર આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે ત્યારે અન્ય પાંચ આરોપીઓને કોર્ટે સીધા જેલ હવાલે કરવાના આદેશો આપ્યા છે.