વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,દુર્ગા વાહિની સહિત અન્ય આયામો એ પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોની આત્માના શાંતિ અર્થે મૌન રેલી.

થોડા દિવસ પહેલા મોરબીમા જે દુર્ભાગ્ય પુણઁ જુલતાપુલ તુટવાની જે ઘટના બની તેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. જે લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે એમની આત્માની શાંતિ માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની તથા તમામ આયામોના મોરબી જિલ્લા, મોરબી શહેર તથા મોરબી ગ્રામ્ય ના જવાબદાર વયકિતઓ તથા કાર્યકર્તા દ્વારા આજરોજ તારીખ :- 4/11/2022 અને શુક્રવાર ના રોજ સાંજે 5 કલાકે વિશ્વ હિંદુ પરિષદના મોરબી કાર્યાલય ખાતેથી માધવરાયના મંદિર પાસેથી ગિરન ચોકમાં થઈ જુની દોશી હાઈસ્કૂલ પાસેથી મચછુ માં ના મંદિર થઇ ઘટના સ્થળ એટલે કે મચછુ નદીના ઘાટ ઉપર કે જે જગ્યા એ ગોજારો અકસ્માત થયો તે સ્થળ સુધીની મૌન રેલી કાઢવા મા આવી અને તેજ જગયા પર કે જયાં આ અઘટિત ઘટના બની છે ત્યાં દિપ જલાવી તમામ સદ્દગત ની આત્મા ને શાંતિ મળે તે માટે 2 મિનીટ મૌન પાળી શાંતિ થી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી