આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયાએ કરી મોટી જાહેરાત.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રથમ વખત પુરા જોશ સાથે રાજનીતિમાં પરિવર્તન માટે આવેલ આમ આદમી પાર્ટી ના શિક્ષિત ઉમેદવારો પોતાની આગવી ઓળખ બનાવી રહ્યા છે. ત્યારે ૬૫ મોરબી માળીયા વિધાનસભા ઉમેદવાર પંકજભાઈ રાણસરિયાએ આજે મીડિયા સામે જાહેરાત કરી છે કે મતદારો ના સહકાર થી તેઓ ધારાસભ્ય બનશે એટલે તેમને પ્રજાના ટેક્ષના રૂપિયે મળતો પગાર સંપૂર્ણ પ્રજાના શિક્ષણ અને આરોગ્યના સહકારમાં જ વાપરવામાં આવશે અને પ્રજા જાનોના ટેક્ષ ના રૂપિયાનો સંપૂર્ણ દુર્વ્યે અટકાવવામાં આવશે અને આમ આદમી પાર્ટીની વિચારધારા મુજબ સંપૂર્ણ શાસન ભ્રષ્ટાચાર મુક્ત કરવામાં આવશે..