હળવદ : વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૧ બોટલ બ્લડ એકત્રિત થઈ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટિયા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે હુતાત્મા દિન નિમિતે રક્તદાન શિબિર નું આયોજન શહેર મધ્યે આવેલ શ્રી ગાયત્રી માતાજી મંદિર (બ્રાહ્મણ ની ભોજનશાળા) ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં હળવદ તાલુકા ની જનતા એ ઉત્સાહ પુર્વક સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું જેમાં 121 બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી હતી

એકત્રિત થયેલ બ્લડ ની બોટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગરીબ અને લોહી ની જરૂરિયાત છે તેવા દર્દીઓ માટે ઉપયોગ માં લેવામાં આવશે આ કાર્યક્રમ માં પૂજ્ય સાધુ સંતો એ દીપ પ્રાગટ્ય કરી અને અયોધ્યા શ્રી રામ મંદિર માટે વીરગતિ પામનાર હુતત્માઓ ને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ નો શુભારંભ કરાવેલ હતો આ કાર્યક્રમ માં હળવદ ના વિવિધ સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનાવવા બજરંગદળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી