મોરબી : મેરજા પરિવારના કુળદેવીનો 18મો વાર્ષિક પાટોત્સવ યોજાશે

મેરજા પરિવારના કુળદેવી માઁ બહુચરાજીનો 18 મો વાર્ષિક પાટોત્સવ નારણકા ગામે ( તા. મોરબી) તારીખ : 01/11/2022 મંગળવાર ના રોજ રાખેલ હતો. તે હાલ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની બનેલ અતિ ખરાબ દુઃખદ કમનસીબ દુર્ઘટનાના કારણોસર બંધ રાખવામાં આવેલ હતો.

જેની ઉજવણીનું હવે આગામી તારીખ 16/11/2022 બુધવારના રોજ 18 મો વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 15/11 /2022 ના રોજ સાંજે 4:30 કલાકે શોભાયાત્રા અને રાત્રે રાસ ગરબા રાખેલ છે. તેમજ તારીખ 16/11 /2022 ના રોજ વહેલી સવારે મહાયજ્ઞ બપોરે 2:00 કલાકે બીડુ હોમવાનું તથા 11:30 કલાકે માતાજીના મંદિરના પટ્ટાંગણમાં સામુહિક વ્યવસ્થિત મહાપ્રસાદ લેવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ દિવ્ય પાટોત્સવમાં સમસ્ત મેરજા પરિવારજનોને તેમજ આમંત્રિત મહેમાનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.